122 – હિંદુ ધર્મના પતન માટે હિંદુ સ્ત્રીઓ જવાબદાર છે

૨૨ ફેબ્રુઆરી ૨૦૨૦
શનિવાર
હિંદુ ધર્મના પતન માટે હિંદુ સ્ત્રીઓ જવાબદાર છે. હિંદુ સ્ત્રીઓ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે વર્તન ના કરીને, આપણી ભવ્ય હિંદુ સંસ્કૃતિ ખતમ કરી રહી છે.
આજે કેટલીક ઘટનાઓને મીડિયાવાળી સ્ત્રીઓ ચગાવીને હિંદુ ધર્મ શાસ્ત્રોને બદનામ કરી રહી છે.
૧) કચ્છ-ભુજ સહજાનંદ કોલેજની હોસ્ટેલમાં છોકરીઓના કપડાં ઉતારી માસિક ચેક કરવામાં આવ્યું.
૨) પરમ પૂજ્ય સ્વામિનારાયણ સંત શ્રી કૃષ્ણસ્વરૂપ દાસજીએ માસિકમાં હોય એવી સ્ત્રીઓએ ખાવાનું બનાવવાનું નહિ, એના હાથે બનાવેલું ભોજન પુરુષોએ ખાવાનું નહિ, એમ જણાવ્યું.
૩) સુરત કોર્પોરેશનમાં આશરે ૧૦૦ જેટલી સ્ત્રીઓને નાગી કરીને મેડિકલ ચેક અપ કર્યું.
તો શું આભ તૂટી પડ્યું?
શુ આપણે હવે સ્ત્રીઓને ચેક પણ નહીં કરવાની? ક્યાંક કાંઈ આડુંઅવળું થઈ જાય તો જવાબદાર કોણ? જેમ કે માસિકવાળી સ્ત્રીના હાથે ભોજન ખવાઈ જાય અને આપણે પુરુષો આગલા જન્મમાં બળદ બની જઈએ તો જવાબદાર કોણ?
અને માસિકને લગતા નિયમો સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રિમાં લખેલા છે. વર્ષોથી લખાયેલ હતા, પળાતા હતા, તો આજે નિયમો પાળતા શુ ચૂક આવે છે સ્ત્રીઓને?
સ્ત્રીઓ શુદ્ર બરાબર છે.
સ્ત્રીઓ ભરોસાપાત્ર નથી.
સ્ત્રીઓ જન્મજાત પુરુષોને ફસાવી લેવાની વૃત્તિ ધરાવે છે અને કેરેકટરલેસ હોય છે.
સ્ત્રીઓ એક કરતાં વધુ પુરુષોના વિચારો કરતી હોય છે.
આવું હું નથી કહેતો
આપણા હિંદુ ધર્મ શાસ્ત્રોમાં લખ્યું છે અને મહાન આચાર્યોએ પણ કહ્યું છે.
બે હાથ જોડીને સૌ હિંદુઓને મારી વિનંતી છે કે ધર્મ શાસ્ત્રો વાંચો, એનું પાલન કરો અને પોતાના ઘરની સ્ત્રીઓને કાબુમાં રાખો. નહિ તો આપણે ક્યારેય #હિંદુરાષ્ટ્ર નહિ બનાવી શકીએ.
મનુસ્મૃતિ આખી દુનિયાનું સૌથી પહેલું કાયદાનું પુસ્તક છે. અને મનુની મૂર્તિ આજે રાજસ્થાન હાઈ કોર્ટના પ્રાંગણમાં મુકેલી છે. આ ડૉ. બાબાસાહેબ તો હમણાં આવ્યા. પણ એ પહેલાં હજારો વર્ષ પૂર્વે મનુ મહારાજે જન્મ લીધો હતો અને આપણે હિંદુઓએ કેવી રીતે જીવવું તેના નિયમો, કાયદા ઘડ્યા હતા.
આવો જાણીએ, મહારાજ મનુએ સ્ત્રીઓ માટે શું લખ્યું છે….
૧. પુરુષોને પોતાની જાળમાં ફસાવી લેવા એ સ્ત્રીઓનો સ્વભાવ છે એટલે સમજદાર લોકો સ્ત્રીઓની સાથે ચેતતા રહે છે.
મનુસ્મૃતિ શ્લોક ૨.૨૧૩
૨. કેમ કે પુરુષોની કામ ક્રોધના વશમાં થઈ જવાની સ્વાભાવિક દુર્બળતાને ભડકાવીને સ્ત્રીઓ મૂર્ખ જ નહીં પણ હોંશિયાર વિદ્વાન પુરુષોને પણ વિચલિત કરી નાંખે છે.
મનુસ્મૃતિ શ્લોક ૨.૨૧૪
૩. પુરુષોમાં સ્ત્રીઓ ન તો રૂપ જુએ છે, ન ઉંમરની પરવા કરે છે. સ્વરૂપવાન હોય કે કદરૂપો, જેવો પણ પુરુષ મળી જાય એની સાથે ભોગવિલાસમાં રત બની જાય છે.
મનુસ્મૃતિ શ્લોક ૯.૧૪
૪. હંમેશા પુરુષની ઈચ્છા રાખવાવાળી ચંચળચિત્ત અને સ્વભાવથી નિષ્ઠુર હોવાના કારણે એમને કેટલી પણ સારી રીતે કેમ ના રાખવામાં આવે સ્ત્રીઓ, પતિઓ પ્રત્યે વિશ્વાસુ નથી રહી શકતી.
મનુસ્મૃતિ શ્લોક ૯.૧૫
૫. આ દુર્ગુણો સ્ત્રીઓમાં સૃષ્ટિના સર્જન સમયથી જ રહેલો છે અને એટલે જ પુરુષોએ સખતાઈથી ધ્યાન રાખવું જોઈએ અને સ્ત્રીઓને પુરુષોએ પોતાની દેખરેખ નીચે રાખવી જોઈએ.
મનુસ્મૃતિ શ્લોક ૯.૧૬
૬. સૃષ્ટિના રચયિતાએ નારીની રચના કરતી વખતે જ નારીમાં આસન આભૂષણ પ્રત્યે મોહ અને કામ, ક્રોધ, બેઇમાની, દ્વેષભાવ અને ચરિત્રહીનતા ફૂટી ફૂટીને ભરી દીધી છે.
મનુસ્મૃતિ શ્લોક ૯.૧૭
ઉપરના શ્લોકો પરથી સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓ જન્મજાત એવી જ હોય છે. કોઈ સુધારો શક્ય નથી. એક નંબરની કેરેકટરલેસ, પુરુષોને ફસાવનારી અને જરાય વિશ્વાસ ન કરી શકાય એવી હોય છે.
- એટલે જ #RSS ના મોટાભાગના પૂર્ણકાલીન પ્રચારકો લગ્ન નથી કરતા અને સ્ત્રીઓથી દૂર રહે છે.
- આદરણીય હિંદુ હૃદય સમ્રાટ શ્રી નરેન્દ્ર મોદી પોતાની પત્નીને છોડીને કેમ દૂર રહે છે? હવે સમજ પડી!! કારણ કે મોદીજી સમજદાર પુરુષ છે.
- એટલે જ બજરંગ દળવાળા વેલેન્ટાઈન ડે ઉજવણીનો વિરોધ કરે છે.
- આવી કેરેકટર વગરની સ્ત્રીઓને વળી પ્રેમ શેનો કરવાનો?
ડૉ. બાબાસાહેબ આંબેડકરને હિંદુ ધર્મમાં કાંઈ સમજ પડતી નોહતી અને તેઓ હિંદુ ધર્મમાં માનતા નોહતા. ડૉ. બાબાસાહેબે એટલે જ બૌદ્ધ બની ગયા હતા. પણ બૌદ્ધ બનતા પહેલા હિંદુ ધર્મને ખતમ કરવાનું ષડયંત્ર કરતાં ગયા હતા. અને હિંદુ સ્ત્રીઓને “હિંદુ કોડ બિલ” આપતા ગયા હતા.
આ હિંદુ કોડ બિલ આપણા હિંદુ ધર્મ શાસ્ત્રો વિરોધી છે. આજે વિસ્તારથી વાત કરીએ કે ડૉ. બાબાસાહેબ અને મહારાજ મનુ વચ્ચે કેટલો તફાવત છે.
આજે તમને ખબર પડશે કે, ભારતીય બંધારણ અને હિંદુ ધર્મ શાસ્ત્રો કેટલાં વિરોધાભાસી છે.
હિંદુ કોડ બિલ Vs હિંદુ ધર્મ શાસ્ત્ર
- સૌથી પહેલા તો આપણા પવિત્ર હિંદુ ધર્મ ગ્રંથો પ્રમાણે આખું બંધારણ જ ખોટું છે.
- બંધારણમાં સ્ત્રીઓને સમાનતા આપી છે. સ્ત્રીઓને પુરુષ બરાબર ગણી છે. સ્ત્રી અને પુરુષ કેવી રીતે બરાબર હોઈ શકે? સ્ત્રી જન્મજાત, સ્વભાવગત રીતે જ કેરેકટરલેસ, ચંચળ, પુરુષોને બહેકાવનારી, કામ-ક્રોધમાં રત રહેનારી છે. આપણે પુરુષો આવી સ્ત્રીઓ જેવાં થોડાં છીએ. તો સ્ત્રીઓને પુરુષ બરાબર ગણવી જ હિંદુ ધર્મ શાસ્ત્ર વિરોધી છે.
- યાદ કરો આપણા પવિત્ર ચાર વેદો.
- ચાર વર્ણો ક્યાંથી પેદા થયા. એક પુરુષમાંથી. કોઈ સ્ત્રીમાંથી નહી. આ સૃષ્ટિનું સર્જન એક પુરુષે કર્યું છે, સ્ત્રીએ નહિ. એટલે શ્રેષ્ઠ પુરુષ છે, સ્ત્રી નહિ. તોય ભારતના બંધારણમાં સ્ત્રી અને પુરુષને સરખા ગણવામાં આવ્યા છે.
આટલું ઓછું હોય એમ, હિંદુ કોડ બિલમાં તો બધ્ધુ જ આપણા પવિત્ર સનાતની હિંદુ ધર્મ વિરોધી લખ્યું છે.
હિંદુ કોડ બિલમાં હિંદુ સ્ત્રીઓને કુલ ૮ અધિકારો આપ્યા છે.
અધિકાર ૧ : હિંદુ વિવાહ અધિનિયમ
વિવાહ સમયે બે પક્ષે કોઈ પહેલેથી કોઈના પતિ કે પત્ની ના હોય, કોઈ જડબુદ્ધિ અથવા પાગલ ના હોય, છોકરાની ઉંમર ૨૧ અને છોકરીની ઉંમર ૧૮ વર્ષ ઓછામાં ઓછી હોય.
આ કાયદાના લીધે,
- બાળવિવાહ પર પ્રતિબંધ આવી ગયો છે.
- છોકરીઓ સમજણી થાય ત્યાં સુધી એમના લગ્ન કરી શકાતા નથી. એટલે હવે છોકરીઓ જાતે છોકરો પસંદ કરતી થઈ ગઈ છે.
- પહેલા માં-બાપ અને ઘરના વડીલો લગ્ન નક્કી કરતા અને હવે છોકરીઓ જાતે પોતે છોકરાઓના ઇન્ટરવ્યૂ લે છે અને જાતે પોતાનો વર પસંદ કરે છે.
- નાનપણમાં જ લગ્ન થઈ જતા એટલે છોકરીઓ કાબુમાં રહેતી. પહેલા માં બાપ અને પછી ધણી. પણ હવે ૧૮ વર્ષની થાય ત્યાં સુધી લગ્ન ના કરતા સ્ત્રીઓ સ્વતંત્ર બનવા લાગી છે. જાતે પોતે પોતાનું ભલું વિચારતી થઈ ગઈ છે.
અધિકાર ૨: વિશેષ વિવાહ અધિનિયમ
છોકરો-છોકરી બન્ને વંશાનુક્રમે ભાઈ-બહેન, કાકા-ભત્રીજી અથવા કાકી-ભત્રીજો અથવા ભાઈઓ કે બહેનો હોય એવા લગ્નો ગેરકાયદેસર ગણાય છે. એક પત્ની એક પતિ એક સમયે લગ્ન કરી શકે છે અને જો કોઈ પતિ પહેલી પત્ની હોવા છતાં બીજા લગ્ન કરે તો એ લગ્ન ગેરકાનૂની અને કાનૂની રીતે દંડને પાત્ર બને છે.
- ડૉ. બાબાસાહેબે હિંદુ ધર્મનું નખ્ખોદ વાળવા જ આવો કાયદો લખ્યો એવું લાગે છે. એટલું જ નહીં આ કાયદામાં બાબાસાહેબની પુરુષ વિરોધી માનસિકતા પણ છતી થાય છે. આપણી હિંદુ સંસ્કૃતિમાં એક કરતાં વધારે પત્નીનો રિવાજ હતો. અસંખ્ય એવાં દાખલા મળશે કે એક કરતાં વધારે પત્નીઓ હોય. વળી, એકથી બાળક ના થાય તો એની હયાતીમાં બીજી લાવી શકાતી. એ બધું ગેરકાયદેસર કરી દીધું. અને પુરુષોને ફક્ત એક સ્ત્રીના ગુલામ જેવાં બનાવી દીધા છે. બે પત્ની હોય તો એક રુઠે તો બીજી ચાલી જાય, પહેલીવાળીને મનાવવાની જરૂર જ ન રહે, એ આપોઆપ માની જાય… ના માને તો આપણે ત્રીજી પત્ની પણ લઈ આવી શકીએ… પણ બાબાસાહેબે પુરુષો પર એક પત્નીવાળો કાયદો કરીને ભારે અન્યાય કર્યો છે. હવે પેલીને મનાવ્યાં વગર, સમજાવ્યા વગર આપણ પુરુષોને છૂટકો જ નહીં.
અધિકાર ૩: ગોદ/દત્તક અધિનિયમ
પહેલા કુળના લોકોને જ દત્તક લેવાનો નિયમ હતો હવે કોઈને પણ દત્તક લઈ શકાય છે.
આમ વર્ણશંકર જાતિઓ બને છે. જે શાસ્ત્ર વિરોધી છે.
અધિકાર ૪: હિંદુ ઉત્તરાધિકારી અધિનિયમ
પતિના મૃત્યુ પછી પતિની સંપત્તિમાં, એના સંતાનોના બરાબરીનો હિસ્સો મળે એવો કાયદો બનાવવામાં આવ્યો. એટલું જ નહીં, પુત્રીને પણ ભાઈના બરાબર હિસ્સો મળે એવું બાબસાહેબે લખ્યું.
- આપણા હિંદુ ધર્મ શાસ્ત્રોમાં સ્ત્રીઓને પિતાની સંપત્તિમાં ભાગ આપવાનો નિયમ ક્યાં છે? વળી, પતિની સંપત્તિમાં પણ ભાગ મળે એવું ક્યાં લખેલું છે?
- દીકરી તો સાંપનો ભારો કહેવાય.
- દીકરી તે ગાય દોરે ત્યાં જાય.
આપણા ઘઈડયા અમસ્તા થોડાં કહી ગયા છે?
સ્ત્રીને પુરુષોએ રાત-દિવસ સ્વતંત્ર રાખવી નહિ(પરંતુ વશમાં રાખવી). વળી, વિષયોમાં આસક્ત રહેતી હોય તેવી સ્ત્રીઓને પણ વશમાં જ રાખવી.
મનુસ્મૃતિ શ્લોક ૯.૨
સ્ત્રીને કોમર્ય અવસ્થામાં પિતા રક્ષે, યુવાનીમાં પતિ રક્ષે, ઘડપણમાં પુત્રો રક્ષે, (પણ કોઈ કાળે) સ્ત્રીની સ્વતંત્રતા નહીં ઘટે.
મનુસ્મૃતિ શ્લોક ૯.૩
જ્યારે શાસ્ત્રોએ સ્ત્રીને સ્વતંત્ર રાખવાની જ ન પાડી છે તો એને સંપત્તિ શુ લેવા આપવાની? જમીન, જાયદાદમાં ભાગ આપો, રૂપિયા સંપત્તિ આવે પછી સ્ત્રીઓ આપણને ગાંઠે? એ પછી આઝાદ થઈ જવાની. આપણે પુરુષોએ આ સ્ત્રીઓને કંટ્રોલમાં રાખવી હોય તો શાસ્ત્રોની આજ્ઞા માનવી પડે અને સ્ત્રીઓને કોઈ ભાગ નહિ આપવાનો. એમને જિંદગીભર આપણા કન્ટ્રોલમાં રાખવી પડે.
શુ આપણે પુરુષો સ્ત્રીઓનું પાલન પોષણ નથી કરી શકતા? નાની હોય ત્યારે પિતા, લગ્ન પછી પતિ અને પતિ મરી જાય, ઘડપણમાં પુત્રો ધ્યાન રાખતા જ હતાં ને!! તો હવે સ્ત્રીઓને ભાગ આપવાની શી જરૂર છે?
અધિકાર ૬: અપ્રાપ્તવ્ય સંરક્ષણ સંબંધી અધિનિયમ
૧૮ વર્ષથી નાના, નાબાલિક લોકોના અધિકારો. પણ આમાંય સ્ત્રી-પુરુષ ભેદ કર્યો નથી.
અધિકાર ૭:ઉત્તરાધિકારી અધિનિયમ
હિંદુ કોડ બીલમાં મૃત પિતાની સંપત્તિમાં પુત્રીઓ અને વિધવાને પણ પુત્રોની બરાબર સંપત્તિના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે.
૮. હિંદુ વિધવા પુનરવિવાહ અધિકાર અધિનિયમ
- આ સૌથી ખરાબમાં ખરાબ કાયદો છે.
- પહેલા પતિ મરી જતો તો તેની સાથે પત્નીઓ ચિતામાં સળગી જતી, સતી થઈ જતી, એટલી બધી પતિવ્રતા હતી. અને આજે એકેય સતી થતી નથી. આજે એકેય પતિવ્રતા સ્ત્રી આપણને જોવા મળતી નથી.
- જે સતી નોહતી થતી એ આજીવન વિધવા રહીને પોતાનો વિધવા ધર્મ નિભાવતી. સફેદ કપડાં પહેરતી, ઘરકામ કરતી, રામનામ લેતી, ના લાલી લિપસ્ટિક, ના ભવાઈ, ના રંગીન કપડાં કે ના કોઈ ઉત્સવોમાં ભાગ લેવો અને પોતાની બાકી બચેલી જિંદગી શાંતિપૂર્ણ રીતે વ્યથિત કરતી.
આ બાબાસાહેબે આખા હિંદુ ધર્મનું નખ્ખોદ વાળી નાંખ્યું. અને વિધવાઓને ફરીથી લગ્ન કરવા માટે કાયદો ઘડ્યો. - આજે વિધવાઓને પતિની સંપત્તિમાં ભાગ મળે, એટલે મારી હારી પગભર થાય, નોકરી-ધંધો કરે અને પોતાની જિંદગી પોતાની રીતે જીવતી થાય.
- પછી બીજા લગ્ન કરે, બાળકો પેદા કરે, બધા ઉત્સવો મનાવે, રંગીન કપડાં પહેરે, લાલી લિપસ્ટિક કરે જાણે એનો પતિ મરી જ ન ગયો હોય.
- પતિ પાછળ આખી જિંદગી વિલાપ કરવાને બદલે, થોડા વર્ષોમાં બીજા લગ્ન કરીને આજની સ્ત્રીઓ નવેસરથી જિંદગી શરૂ કરે છે.
- આજની સ્ત્રીઓમાં લાજ-શરમ જેવું કશું રહ્યું નથી!
- સ્ત્રીઓને તો વળી જિંદગી કેવી?
આ બાબાસાહેબને શુ કેવું!!! એ જ ખબર પડતી નથી!!
બાબાસાહેબે હિંદુ ધર્મનું, હિંદુ સભ્યતા અને હિંદુ સંસ્કૃતિનું જેટલું નુકશાન કર્યું છે એટલું તો મોઘલો અને અંગ્રેજોએ ભેગા મળીને ૩૫૦ વર્ષમાં નથી કર્યું.
આ સિવાય,
દહેજપ્રથા બંધ કરી, ગેરકાયદેસર કરી.
દીકરી તો પારકી થાપણ કહેવાય
હવે આપણે પુરુષો કોઈની પારકી થાપણ સાચવીએ તો એના રૂપિયા મળવા જોઈએ કે નહીં?
- માં-બાપ તો ૨૦-૨૫ વર્ષ છોકરીને પાલવીને છુટા થઈ જાય પછી આખી જિંદગી સાસરીવાળા મફતમાં ખવડાવતા હોય છે, તો થોડા રૂપિયા, ગાડી, ફ્લેટ આપે તો શું ખોટું થઈ ગયું?
- પણ ના… ભારતમાં કાયદાના નામે હિંદુ સંસ્કૃતિની ઘોર ખોદી નાંખવી છે એટલે આ લોકોએ એટલે દહેજપ્રથા બંધ કરાવી.
- પહેલા દહેજ ના આપે તો આપણે પુરુષો આપણી બૈરીને મારી-ઝૂડી શકતા હતા અને કોઈ કાંઈ નોહતું બોલતું. છોકરીનો બાપો પણ ઊગડો પડીને દહેજ આપતો, માંગીએ એટલી વાર આપતો, ઘર-ખેતર બધું વેચીને આપતો અને આજે એક લાફો મારો તો સીધી પોલીસ સ્ટેશન જતી રહે મારી બેટી… 498 લગાવી દે આપણા પર… જેલમાં નંખાવી દે… ફક્ત પતિને જ નહીં સાસુ, સસરા, નણંદ, દિયર, એમ બધાને જેલમાં નંખાવી દે એવા કાયદા ઘડાયા છે.
અરે! આપણા ઘઈડિયાઓએ તો,
છોકરી તો સાંપનો ભારો કહેવાય.
એવું કહ્યું છે.
તો આ બીજા કોઈનો સાંપ સાચવવાના રૂપિયા હોય કે નહીં???
આજે આપણે બૈરીને મારીને તો નફ્ફટ થઈને છૂટાછેડા લઈ લે છે અને બીજા લગ્ન કરી લે છે. પછી છુટાછેડાનું પ્રમાણ ના વધે તો બીજું શું થાય?
RSS પ્રમુખ મોહન ભાગવતે સાચું જ કહ્યું છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે છૂટાછેડા વધ્યા છે.
બાકી પહેલાના જમાનામાં તો છોકરીના બાપા સામે આપણી બૈરીને કુટીએ તો મજાલ છે કે સસરો કાંઈ બોલે!!
જાગો હિંદુ જાગો…
આપણી અસલ.. હિંદુ ધર્મ શાસ્ત્રો આધારિત સંસ્કૃતિ બચાવો…
હિંદુ ધર્મ ગ્રંથો વાંચો…
આપણે મનુસ્મૃતિ ના વાંચીએ એટલે અને હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત ના કરીએ એ માટે જ ડૉ. બાબાસાહેબ આંબેકડરે ૨૫ ડિસેમ્બર ૧૯૩૦ માં જાહેરમાં મનુસ્મૃતિ સળગાવી હતી.
પુરુષો,
આ સ્ત્રીઓથી ચેતો.. અને પેલા ડૉ. બાબાસાહેબથી તો ૧૦૦ ગાઉ દૂર રહેજો… એમણે જ આપણા હિંદુ ધર્મ વિરોધી કાયદાઓ લખીને સ્ત્રીઓને આટલી શક્તિશાળી બનાવી છે કે આજે આપણ પુરુષોને ગાંઠતી નથી.
જે આચાર્ય ચાણક્યના આખી દુનિયા વખાણે છે તેમણે શુ કહ્યું છે એ જુઓ,
“સ્ત્રીઓને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ નથી હોતો. તે વાતચીત કોઈ વ્યક્તિ સાથે કરતી હોય છે, પણ હાવભાવપૂર્વક જુએ છે કોઈ બીજાને. અને મનમાં રટણ તો કોઈ ત્રીજી જ વ્યક્તિના નામનું ચાલતું હોય છે. આ જ તેમનો સ્વભાવ છે.”
સંપૂર્ણ ચાણક્યનીતિ અધ્યાય ૧૬, શ્લોક : ૨
શુ ચાણક્ય કોઈ દિવસ ખોટા હોય?
અને તમને જો ચાણક્ય ખોટા લાગતા હોય અને એમ સમજતા હોય કે તમારી સ્ત્રી, ગર્લ ફ્રેન્ડ, પત્ની તમને જ વફાદાર છે તો આ બીજો શ્લોક તમારા માટે જ છે, વાંચો.
“જે પુરુષ એવું માનવાની મુર્ખતા કરે છે કે આ સુંદર સ્ત્રી માત્ર મને જ પ્રેમ કરે છે, તે કઠપૂતળીના મોરલાની જેમ એની આંગળીએ નાચતો રહે છે.”
સંપૂર્ણ ચાણક્યનીતિ અધ્યાય ૧૬, શ્લોક : ૩
આચાર્ય ચાણક્યે સ્ત્રીને બાળકો પેદા કરવા માટે ફળદ્રુપ જમીનથી વિશેષ કાંઈ સમજી નથી. તો તમે શેના સ્ત્રીઓને આટલું બધું માન-સન્માન આપો છો.
હવે આર્ટિકલ પૂરો કરીએ,
પણ કેટલાકને સવાલ થતો હશે કે કૌશિકભાઈ હવે આપણે સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?
તો જવાબ છે,
સાચા હિન્દૂ હોઈએ તો હિંદુ ધર્મ શાસ્ત્રોનો આદર કરવો જોઈએ અને શાસ્ત્રો મુજબ વર્તવું જોઈએ.
ગોસ્વામી તુલસીદાસે કહ્યું હતું એમ,
“ઢોલ, ગંવાર, પશુ, શુદ્ર, નારી,
સબ તાડના કે અધિકારી.”
તાડના મતલબ પીટવું. ઢોલ પર લાકડી મારીએ અને ઢોલ વાગે એમ નારીને પર જ્યાં સુધી પીટતા રહીશું બરાબર ચાલશે. નહિ તો નાહકમાં રોજ વિવાદ કરતી રહેશે.
નોંધ : આખો આર્ટિકલ કટાક્ષમાં લખ્યો છે. સ્ત્રીઓ સાથે ભેદભાવ કોઈપણ રીતે, કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. પણ આવું બધું હિન્દૂ ધર્મ ગ્રંથોમાં લખ્યું છે તે બાબત તરફ તમારું ધ્યાન દોરવાનો આશય છે.
- આ હિંદુ કોડ બિલ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું?
- ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નેહરુની એમાં શું ભૂમિકા હતી?
- આપણે હિંદુઓએ આ બીલનો કેવો જબરજસ્ત વિરોધ કર્યો હતો?
- અને તોય આ આંબેડકર, નહેરુ કેવી રીતે જીતી ગયા અને હિંદુ કોડ બિલ લાગુ કર્યું?
આ બધી જ વાતો, ટૂંકમાં, આ પુસ્તકમાં લખી છે.
મંગાવો અને વાંચો.
દરેક હિંદુને અને સ્ત્રીઓને ખાસ વંચાવો. એટલે હિંદુ સ્ત્રીને ખબર પડે કે હિંદુ ધર્મમાં તેમનું શુ સ્થાન છે.

પાના સંખ્યા : ૪૦, કિંમત : ૩૦ રૂ.
૫૦ થી વધુ નકલ મંગાવવા પર ૨૦ રૂ. પ્રતિ કોપી.
ઓનલાઇન બુક સ્ટોર પરથી મંગાવી શકાશે.
કૌશિક શરૂઆત
“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?”
વિશેષ નોંધ સ્ત્રીઓ માટે :
આ કપડાં ઉતારવા, માસિક ચેક કરવું, માસિક વિશે સંતોએ સ્ટેટમેન્ટ આપવું, એ બધું તો કાંઈ નથી. વધુ જાણકારી માટે હિંદુ ધર્મ ગ્રંથો વાંચો.