પત્રકારત્વ એ ધંધો બની ગયું છે – બાબાસાહેબે વર્ષો પહેલા કહેલું

ભારતમાં પત્રકારત્વ ક્યારેક વ્યવસાય હતું. હવે એ ધંધો બની ગયું છે. સાબુના ઉત્પાદનથી વિશેષ તેનું કોઈ નૈતિક કામ રહ્યું નથી. એ પોતાને જનતાના એક જવાબદાર પ્રતિનિધિ તરીકે ગણતું નથી. કોઈ મંશાનો રંગ ચઢાવ્યા વગર સમાચાર આપવા, જનહિતમાં કોઈ નીતિ અંગે અભિપ્રાય આપવા, ગમે તેટલા ઉચ્ચ પદે બેઠેલા લોકો હોય, તે ખોટો રસ્તો અપનાવે, તો કોઈ ડર વગર તેમને ટકોરવા, એ ભારતમાં પત્રકારત્વની પ્રથમ ફરજ ગણાતી નથી. એ સમાચારની જગ્યાએ સનસનાટી આપે છે, વિવેક બુદ્ધિવાળા અભિપ્રાયને બદલે વિવેકહીન જોશ ભડકાવે છે, જવાબદાર લોકોના મગજને બદલે બેજવાબદાર લોકોની લાગણીઓને ઉશ્કેરે છે.
કોઈને હીરો તરીકે સ્વીકારવો અને તેની ભક્તિ કરવી, તે જ તેનું મુખ્ય કામ રહ્યું છે. વીરપૂજાના ચક્કરમાં આટલી હદે દેશના હિતોનું બલિદાન ક્યારેય આપવામાં આવ્યું નથી. આજે ભારતમાં દેખાય છે તેટલી અંધ વીરપૂજા ક્યારેય ન હતી. અમુક અપવાદ છે, અને અને તેનો આનંદ છે, પણ તે જૂજ છે અને તેમનો અવાજ ક્યારેય નથી સંભળાતો.
ડો. બાબાસાહેબ આંબેડકર, 1943, પ્રકરણ 8, રાનડે, ગાંધી એન્ડ જિન્હા, ગ્રંથ 1, લેખન અને વક્તવ્યો

ગઈકાલે અખિલેશ યાદવના ફોટાનો દુરુપયોગ કરતાં લોકો રોષે ભરાયા અને દૈનિક જાગરણને સળગાવી બહિષ્કાર કર્યો. ત્યાર બાદ સવર્ણ હિંદુ મીડિયા દૈનિક જાગરણે માંફી માંગી લીધી છે.