કેવડિયા | આદિવાસીની પીડા ન સમજી શકતા હોવ તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ખાડે ગયા સમજો
પહેલાં નર્મદા બંધ અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જગ વિખ્યાત બની ગયું છે કેવડિયા. આપણે કેવડીયા જઈએ ત્યારે સરદારનુ લોખંડનુ (મેડ ઈન ચાઈના વાળું) સ્ટેચ્યુ, ફ્લાવર ગાર્ડન, કેક્ટ્સ એટલે કે થોરનો બગીચો અને નર્મદા ડેમને જોઈને અભિભૂત થઈ જતા હોય છે અને જેતે સરકારની પ્રશંસા કરતા થાકતા પણ નથી. પણ આજે અસલી કેવડીયાની ખમીર, અને ખમતી જાજેરીમાન વિકાસથી વંચિત આદિવાસી જનતાની વાત કરવી છે.