142 – YES Bank, મોડાસા પ્રકરણ, SCSP
આજે ત્રણ અલગ અલગ, અગત્યના ન્યુઝ પર વાત કરીએ.
૧. Yes Bank ડૂબે તો મારે શું? મારું એકાઉન્ટ ક્યાં YES બેંકમાં છે?
– તો આ વાંચો.
– SBI ૧૦ રૂ.ના હિસાબે યસ બેંકના ૭,૨૫૦ કરોડના શેયર ખરીદશે.
– મતલબ, જો તમારું ખાતું SBI માં છે, તો તમારા જ રૂપિયા યસ બેંકમાં રોકાશે.
– હવે, યસ બેંકના ડૂબવા, ના ડૂબવાથી ફરક પડે કે નહીં?
– હવે કોઈક એમ કહી શકે કે કૌશિકભાઈ મારુ તો એકેય બેંકમાં એકાઉન્ટ નથી, મારે શું?
– તો તમારા માટે આ બીજા ન્યુઝ છે.
-RBI એ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે કે ખાનગી બેંકોમાં તમારા રૂપિયા સુરક્ષિત છે, ઉપાડશો નહિ.
– મતલબ, આપણી રાજ્ય સરકારો ખાનગી બેંકમાં રૂપિયા રોકે છે.
– એ ડૂબી જાય તો તમારા જ રૂપિયા દુબશે અને બદલામાં વધુ ટેક્ષ લેવામાં આવશે.
– હવે ફરક પડે છે કે નહીં?
– હજુય ફરક ના પડતો હોય તો મોદી સરકાર અને એના પહેલા મનમોહન સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયા NPA જાહેર કરી દે છે. આ NPA એટલે લોન માફી. ખેડૂતોની કે તમારા જેવા સામાન્ય માણસોની નહિ પણ અરબપતિઓની. અને દર વર્ષે આ રકમ વધી રહી છે.
-૩૧ માર્ચ પછી ખબર પડશે કે નરેન્દ્ર મોદીએ, આપણા ટેક્ષ અને GST ના રૃપિયામાંથી કેટલા રૂપિયા અરબપતિઓને આપી દીધા, લોન માફ કરી દીધી.
– એટલે યસ બેન્ક ડૂબે તો ફરક તો બધાને પડે છે.
– હા, કેટલાંકને સમજ નથી પડતી, એ વાત જુદી છે.
૨. મોડાસા – પ્રકરણમાં પોલીસે જાહેર કર્યું કે દુષ્કર્મ કે હત્યા થઈ નથી.

– ભીડ ભેગી કરીને FIR કરાવવાથી શુ ફાયદો થયો?
– FIR તો કોર્ટથી પણ કરાવી શકાય, આવા કેસોમાં બાહોશ વકીલ જોઈએ, FIR કરાવવામાં પોલીસની ગરજ નથી.
– કોર્ટમાં દલીલ કરવા, સત્ય બહાર લાવવા નેતાગીરી ના ચાલે.
– એટલે જ હું વારંવાર, રૂબરૂમાં અને સોશિઅલ મીડિયામાં પણ કહું છું કે એટ્રોસિટીના કેસો નેતાગીરી કરવાનું પ્લેટફોર્મ નથી. સમાજના સારા વકીલોને આગળ કરી, જરૂરી કાર્યવાહી કરો.
– જે સરકાર ફરિયાદ નોંધવામાં દિવસો લગાવી શકતી હોય, એ સરકારમાં પોલીસ નિષ્પક્ષ તપાસ કરે એમ કેમ માની લેવાય?
– હવે આ તપાસ મામલે કોર્ટમાં કોણ વાંધો ઉઠાવશે?- નેતાઓ કે વકીલો? વકીલો જ ને!!
– બસ! હવે આગળના એટ્રોસિટી કેસોમાં આ ધ્યાન રાખજો.

– એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવી એ આપણું લક્ષ્ય નથી, આપણું લક્ષ્ય છે એટ્રોસિટીના કેસોમાં ન્યાય મળે. અને તેના માટે જરૂરી સમજણ જોઈએ. ભીડની જરૂર નથી.
– કેસની વધુ વિગત આજના છાપાઓમાં વાંચજો.
૩. SCSP બિલ બહુમતના અભાવે પસાર ના થઇ શક્યું.
– ૧૧ તારીખે રાતે આપણે ફેસબુક લાઈવ વિડીઓમાં આ બાબતે માહિતી આપી હતી.
– બિલ કેટલું અગત્યનું હતું? અને આ બિલ કેમ પસાર નહિ થાય? એ પણ આ વિડીઓમાં માહિતી આપેલ છે.
– એક ધારાસભ્ય, સિંગલ ધારાસભ્ય શુ કરી શકે? એ આ વિડીઓમાં માહિતી આપેલ છે.
– સવર્ણ હિંદુ છાપાઓમાં, ન્યુઝ ચેનલોમાં આ બાબતે વિસ્તારથી કવરેજ કોઈએ નથી આપ્યું. તેઓ નથી ઈચ્છતા કે દોઢ કરોડ આદિવાસી-દલિત પોતાના અધિકારો જાણે. આખરે તો સવર્ણ હિંદુ માનસિકતા ખરી ને?
– સૌને વિનંતી કે સમય કાઢીને આ વિડિઓ જોજો.
– રાજકારણ કેમ અને કેટલું અગત્યનું છે? તે આ વિડિઓ પરથી સમજાશે.
– આવનાર સમયમાં આપણે સરકાર બનાવીને, જાતે આ બિલ પસાર કરીશું.
વિડિઓ લિંક :https://youtu.be/xqWtpSZgAKw
-કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?